રાષ્ટ્રીય

ઓગસ્ટ 22, 2026 10:43 એ એમ (AM)

views 15

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. દેહરાદૂનમાં ભારત-નેપાળ સંયુક્ત કાર્યકારી જૂથની 14મી બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. આ બે દિવસીય બેઠકમાં સરહદ પારના ગુના અટકાવવા, સરહદી માળખાગત સુવિધાઓને મજબૂત...

ઓગસ્ટ 22, 2026 10:37 એ એમ (AM)

views 33

ભારતને વૈશ્વિક સ્તરે વિકાસ માટે ઉજ્જવળ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતને વૈશ્વિક સ્તરે વિકાસ માટે એક ઉજ્જવળ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે. નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફો...

ઓગસ્ટ 22, 2026 10:24 એ એમ (AM)

views 16

પ્રવાસન સહયોગને મજબૂત બનાવવા માટે બ્રિક્સના પ્રવાસન મંત્રીઓએ જયપુર ઘોષણાપત્ર અપનાવ્યુ

ભારતની અધ્યક્ષતામાં ગઈકાલે જયપુરમાં યોજાયેલી બ્રિક્સ પ્રવાસન મંત્રીઓની બેઠક જયપુર ઘોષણાપત્રને સર્વાનુમતે મંજૂરી સાથે પૂર્ણ થઈ. જયપુર ઘોષણાપત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, પર્યાવરણને અનુકૂળ પર્યટન, કૌશલ્ય વિકાસ અને બ્રિક્સ દેશોમાં અનુકૂળ મુસાફરી જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા ...

ઓગસ્ટ 21, 2026 7:59 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વીસ અવકાશ સ્ટાર્ટઅપ્સના સીઈઓ અને સ્થાપકો સાથે વાતચીત કરી. તેમણે તેમને લોકોના જીવનને સુધારવા માટે અવકાશ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે ભાર મૂક્યો કે દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે બેઠક દરમિયાન...

ઓગસ્ટ 21, 2026 7:56 પી એમ(PM)

views 11

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 189 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બળ (SSB) મુખ્યાલય ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા . સૈનિકોને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા પછી સરહદ સુરક્ષા માટે સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે શ્રી શાહે બાંગ્લાદેશના...

ઓગસ્ટ 21, 2026 2:22 પી એમ(PM)

views 9

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક પુણેમાં શરૂ.

ભારત અને બ્રાઝિલે બ્રિક્સ આઇસીટી ટ્રેક મીટિંગ દરમિયાન ટેલિકોમ્યુનિકેશન અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT)માં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું કે, આ કરાર ડિજિટલ નવીનતાને આગળ વધારશે, ડિજિટલ માળખાગત...

ઓગસ્ટ 21, 2026 2:09 પી એમ(PM)

views 12

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, સિંગાપોર અને એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ભારત કટિબધ્ધ.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સિંગાપોર અને સમગ્ર એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે, સાથે સાથે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ભારત-સિંગાપોર બિઝનેસ ફોરમ ખાતે બિન-લાભકારી બિઝનેસ સ્કૂલ INSEAD ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યા...

ઓગસ્ટ 21, 2026 8:45 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કરાયો હતો. શ્રી મોદીએ સચિવોને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે વિચારવા અને દેશનું ભવિષ્ય કેવી રીતે ઘડવું તે અંગે નવી દિશ...

ઓગસ્ટ 21, 2026 8:39 એ એમ (AM)

views 25

પુણેમાં આજે 12મી BRICS સંચાર મંત્રીઓની બેઠક યોજાશે

ભારત આજે પુણેમાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના સંચાર મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. બેઠક દરમિયાન માહિતી અને સંચાર ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ વધ...

ઓગસ્ટ 21, 2026 8:33 એ એમ (AM)

views 27

લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા કેબિનેટની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી હતી. આ પગલાને લદ્દાખમાં ન્યાયિક સેવાઓની પહોંચ વધુ સરળ બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગૃહમંત્રી અમિત...