પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 24, 2026 7:38 પી એમ(PM)

views 325

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્ર એનાયત કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશભરના 61 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂકપત્ર એનાયત કર્યા. 18-મા રોજગાર મેળાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અનેક દેશની સાથે વે...

જાન્યુઆરી 24, 2026 7:37 પી એમ(PM)

views 157

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક કામ ગુણવત્તા-યુક્ત કરવા પર ભાર આપ્યો છે. મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે મોરબીને મળેલા વિકાસ કાર્યો તેમજ ઉદ્યોગ જગતમાં મોરબીની અગ્રણી ભૂમિકા અંગે પણ વાત કરી. શ્રી પટેલે સ્વચ્છતા રાખવા, જળસંચય માટે જાગૃત ...

જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)

views 157

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)

views 72

ભરૂચ પોલીસે 48 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા.

ભરૂચ પોલીસે ઑપરેશન મ્યૂલ હન્ટ હેઠળ સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે, પાલેજ પોલીસે સાત રાજ્યમાંથી સાયબર છેતરપિંડીમાં 48 લાખ રૂપિયાથી વધુની રકમ મેળવનારા બંને આરોપીને સાંસરોદથી પકડવામાં આવ્યા છે. પોલીસે પાલેજમાં શરૂ કરાયેલા મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, ગેરકાયદ...

જાન્યુઆરી 24, 2026 3:11 પી એમ(PM)

views 82

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, ભારત અનેક દેશની સાથે વેપાર અને પરિવહન કરાર કરી રહ્યું છે, જેનાથી દેશના કુશળ યુવાનો માટે વિવિધ તકનું સર્જન થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 18-મા રાષ્ટ્રીય રોજ...

જાન્યુઆરી 24, 2026 3:10 પી એમ(PM)

views 72

ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા.

ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા હતા. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી બાંભણિયાએ કહ્યું, ગાંધીનગરમાં 242 જેટલા ઉમેદવારને સરકારી નોકરી માટે નિમણૂકપત્રનું વર્ચ્યૂઅલ વિતરણ ક...

જાન્યુઆરી 24, 2026 3:06 પી એમ(PM)

views 74

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તેમણે શાળાના અગ્રણીઓ પાસેથી શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી. શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા...

જાન્યુઆરી 24, 2026 3:05 પી એમ(PM)

views 84

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં..

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે રીહર્સલ પરેડનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરાયા. પંચમહાલમાં જિલ્લા કક્ષાના ...

જાન્યુઆરી 24, 2026 3:04 પી એમ(PM)

views 71

અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું.

અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. તેના કારણે ડાબા કાંઠાના માલપુર અને બાયડ તાલુકામાં ત્રણ હજાર જેટલા ખેડૂતોને રવિ પાકના સિંચન માટે પાણી મળી રહેશે તેમ વાત્રક નહેર સિંચાઈ વિભાગના અધિકારી સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ 25 ...

જાન્યુઆરી 24, 2026 3:12 પી એમ(PM)

views 94

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.