સપ્ટેમ્બર 6, 2026 7:59 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભારતને નશામુક્ત બનાવવા માટે ત્રણ વર્ષનો રોડમેપ જાહેર કર્યો

ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભારતને નશામુક્ત બનાવવા માટે ત્રણ વર્ષનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે નશા સામે રાષ્ટ્રવ્યાપી, સંકલિત ઝુંબેશ ચલાવવાનું આહ્વાન કર્યું છે.

ગોવામાં, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 2019 થી, સરકારે માદક દ્રવ્યોની હેરફેર સામે લડવા, ગુપ્ત માહિતી શેર કરવા, નાણાકીય ગુનાઓની તપાસ કરવા અને લોકોના પુનર્વસન માટે પગલાં મજબૂત બનાવ્યા છે.

2014 થી 2024 ની વચ્ચે, 1 કરોડ 19 લાખ કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે 1 લાખ 89 હજાર કરોડ છે.

સરકારે આગામી ત્રણ વર્ષમાં 100 આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ નેટવર્કને તોડી પાડવા, 100 નશા સંબંધિત ભાગેડુઓને પરત લાવવા અને 100 ગેરકાયદેસર ડ્રગ લેબનો નાશ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.