જાન્યુઆરી 24, 2026 8:04 પી એમ(PM)

views 167

યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજથી ભારતના પ્રવાસે.

યુરોપિય આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજે ભારતની તેમની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત-યુરોપીય સંઘ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે વધુમાં ક...

જાન્યુઆરી 24, 2026 8:02 પી એમ(PM)

views 158

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઉત્તરપ્રદેશ વિકસિત ભારતનું વિકાસ એન્જિન બનવા તૈયાર.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશ માત્ર દેશનો આત્મા જ નથી પણ વિકસિત ભારતનું વિકાસ એન્જિન બનવા માટે પણ તૈયાર છે. લખનૌમાં ઉત્તર પ્રદેશ દિવસ ઉજવણીમાં, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ હવે દેશનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને અનાજ ભંડાર બની ગયું છે, જે અનાજના ભંડારમાં...

જાન્યુઆરી 24, 2026 8:01 પી એમ(PM)

views 68

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે યુવાનોને પડકારનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વિશ્વ અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે યુવાનોએ શારીરિક, માનસિક રીતે મજબૂત રહી દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. નવી દિલ્હીમાં NCC પ્રજાસત્તાક દિવસ શિબિરમાં, શ્રી સિંહે યુવાનોને ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં આયોજિત મોક ડ્રીલ દ...

જાન્યુઆરી 24, 2026 7:58 પી એમ(PM)

views 172

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય

ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાઈ રહેલી અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટીંગ કરતાં 36.2 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની બેટીંગ દરમિયાન વરસાદ પડતાં મેચને 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતે 13.3 ઓવરમાં 3 વિકેટ ગ...

જાન્યુઆરી 24, 2026 7:38 પી એમ(PM)

views 345

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્ર એનાયત કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશભરના 61 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂકપત્ર એનાયત કર્યા. 18-મા રોજગાર મેળાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અનેક દેશની સાથે વે...

જાન્યુઆરી 24, 2026 7:37 પી એમ(PM)

views 165

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક કામ ગુણવત્તા-યુક્ત કરવા પર ભાર આપ્યો છે. મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે મોરબીને મળેલા વિકાસ કાર્યો તેમજ ઉદ્યોગ જગતમાં મોરબીની અગ્રણી ભૂમિકા અંગે પણ વાત કરી. શ્રી પટેલે સ્વચ્છતા રાખવા, જળસંચય માટે જાગૃત ...

જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)

views 166

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)

views 76

ભરૂચ પોલીસે 48 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા.

ભરૂચ પોલીસે ઑપરેશન મ્યૂલ હન્ટ હેઠળ સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે, પાલેજ પોલીસે સાત રાજ્યમાંથી સાયબર છેતરપિંડીમાં 48 લાખ રૂપિયાથી વધુની રકમ મેળવનારા બંને આરોપીને સાંસરોદથી પકડવામાં આવ્યા છે. પોલીસે પાલેજમાં શરૂ કરાયેલા મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, ગેરકાયદ...

જાન્યુઆરી 24, 2026 7:33 પી એમ(PM)

views 169

WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે વડોદરામાં મુકાબલો.

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીના BCA સ્ટૅડિયમમાં હમણાં સાડા સાત વાગ્યે આ 15-મી મૅચ શરૂ થશે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, જેમિમાહ રોડ્રીગ્ઝની આગેવાની હેઠળની દિલ્હી કૅપિટલ્સની ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે...

જાન્યુઆરી 24, 2026 3:11 પી એમ(PM)

views 84

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, ભારત અનેક દેશની સાથે વેપાર અને પરિવહન કરાર કરી રહ્યું છે, જેનાથી દેશના કુશળ યુવાનો માટે વિવિધ તકનું સર્જન થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 18-મા રાષ્ટ્રીય રોજ...