જાન્યુઆરી 12, 2026 10:02 એ એમ (AM)

views 36

આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ, બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે આગામી બે દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે.

જાન્યુઆરી 12, 2026 10:01 એ એમ (AM)

views 37

સુરત પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી

સુરત પોલીસે એક હજાર 550 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી છે.ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ એક કરોડ 92 લાખની રોકડ, સોનું, ચાંદી, હીરા અને બે કરોડ 60 લાખની અન્ય સંપત્તિ જપ્ત કરી છે .

જાન્યુઆરી 12, 2026 10:00 એ એમ (AM)

views 35

વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સમાં રિલાયન્સ જૂથે પાંચ વર્ષમાં સાત લાખ કરોડ અને અદાણી જૂથે દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગઇકાલે રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજીઓનલ સમિટમાં ઉદ્યોગકારોએ પોતાના આગામી રોકાણની જાહેરાત કરી. રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં રોકાણ ડબલ કરીને સાત લાખ કરોડ રૂપિયાનું કરવાની જાહેરાત કરી હતી.જ્યારે અદાણી જૂથના મેનેજિંગ ડિરેકટર કરણ અદાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું...

જાન્યુઆરી 12, 2026 9:58 એ એમ (AM)

views 24

રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર ગણાવી

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ 2026નું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ફક્ત સમિટ નથી. આ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર છે. તેમણે ઉમેર્યું એક સપનાથી શરૂ થયેલી આ યાત્રા આજે એક અતૂટ વિશ્વાસ સુધી પહોંચી શકી છે.તેમણે દેશ-વિદેશથી આવેલા વ્યાપાર જગતના પ્રતિનિધિઓ જણાવ્યું ...

જાન્યુઆરી 12, 2026 9:55 એ એમ (AM)

views 23

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કેસ ઉત્તરી રાખાઇન રાજ્યમાં 2017માં મ્યાનમારના લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. આ કાર્યવાહીને કારણે 7 લાખથી...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 19

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં 490 વિરોધીઓ અને 48 સુરક્ષા દળોના સભ્યોનો સમાવેશ થાય છે. એજન્સીએ ચેતવણી આપી કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તેણે એમ પણ અહેવાલ આપ્યો છે કે 10,600થી વધુ લોકોની અટકાયત કરવા...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 20

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે. આ સમિટમાં ઉદ્યોગના નેતાઓએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગઈકાલે મો...

જાન્યુઆરી 12, 2026 9:50 એ એમ (AM)

views 51

ટ્રમ્પે અમેરિકામાં રખાયેલા વેનેઝુએલાના સરકારી ભંડોળ અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાખવામાં આવેલા વેનેઝુએલાના સરકારી ભંડોળને અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.એક કાર્યકારી આદેશમાં, શ્રી ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની સરકારી થાપણો સામે જપ્તી અથવા અન્ય ન્યાયિક કાર્યવાહીની ધમકી અમેરિકાની રાષ્ટ્ર...

જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં આજે હાજરી આપશે

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં હાજરી આપશે.શ્રી મોદી ભારત અને વિદેશના આશરે ત્રણ હજાર યુવાનો સાથે વાર્તાલાપ કરશે. પસંદ કરાયેલા સહભાગીઓ 10 વિષય...

જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે – આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેએત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની ...