જાન્યુઆરી 12, 2026 9:39 એ એમ (AM)

views 30

ઇસરો આજે શ્રી હરિકોટાથી DRDOના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1નું પ્રક્ષેપણ કરશે

ઇસરો આજે PSLV-C62 EOS-N1 મિશનનું પ્રક્ષેપણ કરશે. આજે સવારે 10:17 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ આ મિશન લોન્ચ કરાશે. સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત આ મિશન ભારતના સૌથી વિશ્વસનીય અને સફળ લોન્ચ વાહન, PSLVની 64મી ઉડાન હશે.પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા ...

જાન્યુઆરી 12, 2026 9:38 એ એમ (AM)

views 36

વડોદરામાં રમાયેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું

વડોદરામાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ગઇકાલે ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું.ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા, નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 300 રન બનાવ્યા. ડેરિલ મિશેલે સૌથી વધુ 84, જ્યારે હેનરી નિકોલ્સે 62 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ...

જાન્યુઆરી 11, 2026 7:28 પી એમ(PM)

views 29

આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત...

જાન્યુઆરી 11, 2026 7:26 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ – ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના વિભાગને લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ - ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 11, 2026 7:05 પી એમ(PM)

views 57

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ હુમલામાં 10 થી વધુ ઇમારતો અને એક શાળાને નુકસાન થયું છે. રશિયન હવાઈ સંરક્ષણ દળોએ 17 ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાએ સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઇલોથી યુક્રેન પર બોમ્બમારો ...

જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)

views 51

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને ૧૧૬ થયો છે. દેશમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરાઇ છે. દરમિયાન ૨ હજાર ૬૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન, ઈરાનના અગ્રણી નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ, દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો પાછળ અમ...

જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)

views 53

અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા

અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓ ગયા મહિને પાલમિરામાં ISIS દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા, જેમાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકનું મોત થયું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ગઈકાલે રા...

જાન્યુઆરી 11, 2026 7:03 પી એમ(PM)

views 20

ભારતીય અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે કહ્યું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે.

ભારતીય અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે કહ્યું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે. શ્રી શુક્લા નવી દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં બોલી રહ્યા હતા. યુવાનોને સફળતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપતા, ગ્રુપ કેપ્ટને યુવા નેતાઓને સ્થિતિસ્થાપક રહેવાની અને પોતાની જાત પર શંકા ન કરવા...

જાન્યુઆરી 11, 2026 7:02 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે. બિહારમાં પણ આજે ઠંડીનો અનુભવ થશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળના હિમાલયી પ્રદેશો, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભ...

જાન્યુઆરી 11, 2026 7:01 પી એમ(PM)

views 26

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઊંડાઈએ અને મુંબઈથી 84 કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.