ઓગસ્ટ 21, 2026 7:59 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વીસ અવકાશ સ્ટાર્ટઅપ્સના સીઈઓ અને સ્થાપકો સાથે વાતચીત કરી. તેમણે તેમને લોકોના જીવનને સુધારવા માટે અવકાશ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે ભાર મૂક્યો કે દેશનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક પ્રતિભા, કંપનીઓ અને રોકાણનું કેન્દ્ર બની શકે છે બેઠક દરમિયાન...

ઓગસ્ટ 21, 2026 7:56 પી એમ(PM)

views 13

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 189 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બળ (SSB) મુખ્યાલય ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા . સૈનિકોને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા પછી સરહદ સુરક્ષા માટે સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે શ્રી શાહે બાંગ્લાદેશના...

ઓગસ્ટ 21, 2026 7:29 પી એમ(PM)

views 23

અંકલેશ્વરમાં રૂ. 4.37 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું રોલર: 1.23 લાખથી વધુ બોટલોનો નાશ

ભરૂચના અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ વહીવટી તંત્રની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે. 5 પોલીસ મથકના 140 ગુનાઓમાં જપ્ત કરાયેલો જથ્થો અંકલેશ્વર ડિવિઝન હેઠળ આવતા વિવિધ 5 પોલીસ મથકોમાં પ્રોહિબિશનના અનેક કેસો નોંધાયા હતા...

ઓગસ્ટ 21, 2026 7:28 પી એમ(PM)

views 14

SBI માં 7,680 જગ્યાઓ પર મેગા ભરતી: ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટ્સની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ દેશભરમાં કુલ 7,680 નિયમિત અને બેકલોગ જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાતના ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે ગાંધીનગર...

ઓગસ્ટ 21, 2026 7:05 પી એમ(PM)

views 35

બેંક ઓફ બરોડામાં 2,482 જગ્યાઓ પર બમ્પર ભરતી: ગ્રેજ્યુએટ્સ માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા અને લાયકાતના નિયમો

દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક બેંક ઓફ બરોડા (BOB) દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે. બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 2482 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ગુજરાત રાજ્ય માટે સૌથી વધુ 1185 જગ્યાઓ ફાળવવામાં આવી...

ઓગસ્ટ 21, 2026 6:53 પી એમ(PM)

views 15

અમદાવાદ RTOમાં મોટો ફેરફાર: AI આધારિત ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટથી જ મળશે લાઇસન્સ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને માત્ર સક્ષમ વાહનચાલકોને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવી અને અત્યાધુનિક સિસ્ટમથી લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદ...

ઓગસ્ટ 21, 2026 6:53 પી એમ(PM)

views 36

વાયબ્રન્ટ સમિટ 2027 ની તૈયારી: CM ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં વન ટુ વન બેઠકોનો દૌર ચલાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' ના પૂર્વાર્ધરૂપે પોતાના અમેરિકા પ્રવાસના 5 માં દિવસે ન્યૂયોર્ક શહેરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં કિન્ડ્રીલ, બ્લેકરોક અને હોલ્ટેક ઇન્ટરનેશનલ જેવી વિશ્વની અગ્રણી કંપનીઓના વડ...

ઓગસ્ટ 21, 2026 6:49 પી એમ(PM)

views 18

હવે માણસના મૃત્યુ પ્રમાણપત્રની જેમ શ્વાન અને બિલાડીનું પણ મળશે મૃત્યુ પ્રમાણપત્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાં પાલતુ પ્રાણીઓ માટે શરૂ કરાયેલા સ્મશાનગૃહમાં હવે મનુષ્યની જેમ જ પાલતુ શ્વાન અને બિલાડી માટે પણ અંતિમવિધિ બાદ મૃત્યુ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવાનો હેતુ પેટ ઓનર્સને કાનૂની અને મુસાફરી સંબંધિત બાબતોમાં સરળતા કરી આપવાનો છ...

ઓગસ્ટ 21, 2026 6:48 પી એમ(PM)

views 26

બોટાદમાં રોજગારીની સુવર્ણ તક: 6 નામાંકિત કંપનીઓ સાથે મેગા ભરતીમેળાનું આયોજન

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને સ્થાનિક કક્ષાએ અને અન્ય શહેરોમાં સરળતાથી રોજગારી મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 23 ઓગસ્ટ 2026 ના રોજ બોટાદ ખાતે એક વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે યુવાનોની સીધી પસં...

ઓગસ્ટ 21, 2026 6:47 પી એમ(PM)

views 17

બોટાદ: ભારે વરસાદમાં 108 ની ટીમે 4 કિલોમીટર પગપાળા જઈને મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં જીવાદોરી સમાન સાબિત થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશી શકે તેમ ન હોવા છતાં, 108 ની ટીમે 4 કિલોમીટરનું અંતર પગપાળા અને ટુ-વ્હીલર પર કાપીને સગર્ભા મહિલાની ઘરે જ ...