ઓગસ્ટ 22, 2026 10:43 એ એમ (AM)

printer

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. દેહરાદૂનમાં ભારત-નેપાળ સંયુક્ત કાર્યકારી જૂથની 14મી બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી.

આ બે દિવસીય બેઠકમાં સરહદ પારના ગુના અટકાવવા, સરહદી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા, માર્ગ અને રેલ જોડાણ, અતિક્રમણ દૂર કરવા અને સરહદો જાળવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંકલન અને ક્ષમતા નિર્માણ વધારવા પર પણ વિચારોની આપલે કરી અને આ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા સંમત થયા.