જાન્યુઆરી 14, 2026 7:17 પી એમ(PM)

views 40

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક અને રાજકોટમાં નવ...

જાન્યુઆરી 14, 2026 7:16 પી એમ(PM)

views 30

રાજકોટમાં રમાઈ રહેલી એક દિવસીય શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝિલૅન્ડને જીતવા 285 રનનો લક્ષ્યાંક આપ્યો.

ભારત અને ન્યૂઝિલૅન્ડની ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની બીજી મૅચ આજે રાજકોટમાં રમાઈ રહી છે. ખંડેરીના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ભારતે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 284 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ અણનમ 112 રન કે.એલ. રાહુલે બનાવ્યા. જ્યારે સુકાની શુબમન ગિલે 56, રોહિત શર્માએ ...

જાન્યુઆરી 14, 2026 3:47 પી એમ(PM)

views 17

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ હોય છે. આજના પાવન દિવસે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને પતંગ અને દોરીનો શણગાર કરાયો તેમજ વિવિધ પ્રકારની ચીકી અને...

જાન્યુઆરી 14, 2026 3:46 પી એમ(PM)

views 19

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી.

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ની ટુકડીને એક હજાર 725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં પણ 34 વર્ષીય એક યુવક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હ...

જાન્યુઆરી 14, 2026 2:37 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલની ઉજવણી પ્રસંગે કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્ર નિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અથાગ મહેનત કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસ...

જાન્યુઆરી 14, 2026 3:55 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આશા વ્યક્ત કરી કે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારી લાવશે. શ્રી મોદીએ કહ્યું કે, માઘ બિહુ પાક, સમૃદ્ધિ અને એકતાનો ઉત્સવ છે. પ્રધા...

જાન્યુઆરી 14, 2026 2:31 પી એમ(PM)

views 24

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા – નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું...

જાન્યુઆરી 14, 2026 2:29 પી એમ(PM)

views 22

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ગતરાત્રે દેખાયેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ ગોળીબાર કરીને પાછા ધકેલ્યા.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે સરહદ પાર કરીને આવેલા અનેક પાકિસ્તાની ડ્રોન પર સેનાએ ગોળીબાર કર્યો. ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારમાં ડુંગા ગાલા ખાતે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. માંજાકોટમાં થોડા સમય માટે દેખાયા બાદ, ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આ ડ્...

જાન્યુઆરી 14, 2026 2:26 પી એમ(PM)

views 47

થાઇલેન્ડમાં ટ્રેન અકસ્માતમાં 22નાં મોત

બેંગકોકથી થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન, અકસ્માતનો ભોગ બનતા 22 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના થાઈલેન્ડ રાજધાનીથી લગભગ 230 કિલોમીટર ઉત્તરપૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં બની હતી. હાલની રેલ્વે લાઇન...

જાન્યુઆરી 14, 2026 3:53 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરીને રાજ્ય પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કર્યો. તેમણે મંદિર પરિસરમાં ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતુ...