ઓગસ્ટ 29, 2026 10:00 એ એમ (AM)

views 16

ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજુ વિમાન મોકલ્યુ – 320 ભારતીય હજુ પણ સંપર્ક વિહોણા

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે એક હજાર 924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 517 વિદેશી...

ઓગસ્ટ 29, 2026 9:59 એ એમ (AM)

views 18

નેપાળમાં વિનાશક પૂરમાં રાજ્યના ગુમ થયેલા લોકોને શોધવા રાજ્ય સરકારની  યુધ્ધના ધોરણે કામગીરી

નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર બાદ અત્યાર સુધી રાજ્યના 24 લોકો ગુમ થયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુમ થયેલા લોકોને શોધવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સરકાર ગુમ થયેલા લોકોના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ દહેગામના એક જ પરિવારના સભ્યો ગુમ થયાના અહેવાલ છે. ગુમ થયેલા પરિવારન...

ઓગસ્ટ 29, 2026 9:52 એ એમ (AM)

views 20

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC-NET પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા

UGC નેટે 84 વિષયો માટે લેવાયેલ પરિક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જેમાં ચાર હજારથી વધુ ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્ષે જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, ભાષાંતર અને ભાષાને લગતી ભૂલો જોવા મળી હતી. નિષ્ણા...

ઓગસ્ટ 29, 2026 9:44 એ એમ (AM)

views 20

ભારતના વેલાવન સેન્થિલકુમારે બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો ખિતાબ જીત્યો

ભારતના અગ્રણી સ્ક્વોશ ખેલાડી વેલાવન સેન્થિલકુમારે ફાઇનલમાં બાલાઝ ફાર્કાસને 3-0થી હરાવીને હંગેરીમાં યોજાયેલી બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધા દરમિયાન વેલાવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઇનલમા વિશ્વના 18મા નંબરના ખેલાડી અને એશિયન ગેમ્સના ગોલ્ડ ...

ઓગસ્ટ 28, 2026 8:10 પી એમ(PM)

views 10

જન ધન યોજના હેઠળ દેશભરમાં અતીર સુધી 59 કરોડથી વધુ બઁક ખાતા ખોલાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં જન ધન યોજનાના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ પરિણામ અજોડ રહ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને દેશના લોકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઓગસ્ટ 28, 2026 8:06 પી એમ(PM)

views 14

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 547 થયો, એક હજાર 545 લોકો હજી ગુમ

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 547 થયો છે. જ્યારે એક હજાર 545 લોકો હજી ગુમ હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટુકડીઓ નદી કિનારાઓ અને વસાહતોમાં બચી ગયેલા લોકો અને પૂરના પાણીમાં વહી ગયેલા મૃતદેહ શોધી રહી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું.

ઓગસ્ટ 28, 2026 8:01 પી એમ(PM)

views 11

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે.

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું, તાજેતરના દિવસોમાં ખાંડની મિલોથી બહાર ખાંડની કિંમતમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરકાર દેશભરમાં ખાંડની...

ઓગસ્ટ 28, 2026 7:57 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, તેમના સંસદીય ક્ષેત્રમાં ડાયાબિટીસગ્રસ્ત બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલીન મળે તેવી સંકલિત વ્યવસ્થા સ્થાપિત.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ટાઈપ વન જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. તમામ બાળાઓએ શ્રી શાહને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. જ્યારે શ્રી શાહે રક્ષાબંધન તથા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની બાળાઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની પહે...

ઓગસ્ટ 28, 2026 7:56 પી એમ(PM)

views 6

રાજ્યમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી.

રાજ્યભરમાં આજે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીનાં બહેન સુભદ્રાજીએ તેમને અને ભાઈ બળભદ્રજીને રાખડી બાંધી. અમદાવાદની શી ટીમે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રાખડી બાંધી. પોરબંદરમાં આર્ય કન્યા ...

ઓગસ્ટ 28, 2026 8:11 પી એમ(PM)

views 67

રાજ્યભરમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, કોઈ પણ જગ્યાએ વરસાદ માટે લાલ, નારંગી કે પીળા રંગની કોઈ ચેતવણી અપાઈ નથી. દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામ...