જાન્યુઆરી 16, 2026 7:16 પી એમ(PM)

views 27

લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી અને પ્રામાણિક નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ કરી છે. ગાંધીનગરમાં કલેક્ટર પરિષદમાં શ્રી પટેલે કલેક્ટર્સને સ્થળ મુલાકાતને પ્રાથમિકતા આપી સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણનું નિરીક્ષણ કરવા કહ્યું છે. શ્રી પટેલે ઇ...

જાન્યુઆરી 16, 2026 7:14 પી એમ(PM)

views 35

રાજકોટ VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડના રોકાણ અને પાંચ હજારથી વધુ પરિયોજના માટે સમજૂતી કરાર થયા.

રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડ રૂપિયાના રોકાણ અને પાંચ હજાર 492 પરિયોજના માટે સમજૂતી કરાર – MoU થયા. જ્યારે ચાર લાખ 55 હજાર 65 કરોડ રૂપિયાના રોકાણ માટે સૌથી વધુ MoU ઉર્જા, તેલ અને ગેસ ક્ષેત્રમાં થયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું, ...

જાન્યુઆરી 16, 2026 7:11 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં 156 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચના આપી છે. તેમજ પડતર કામ પૂરા કરવાની પણ ખાતરી આપી. ભાવનગરમાં મહાનગરપાલિકાના 156 કરોડ રૂપિયાથી વધુના 23 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, નાગરિકોને સાંકળી લ...

જાન્યુઆરી 16, 2026 7:07 પી એમ(PM)

views 72

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળામાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેશોદ સૌથી ઠંડું શહેર રહ્યું...

જાન્યુઆરી 16, 2026 3:19 પી એમ(PM)

views 31

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં થયેલા સમજૂતી કરારના ઝડપી અમલીકરણ, ફેબ્રુઆરીમાં યોજાનારી અંદાજપત્ર સત્રની...

જાન્યુઆરી 16, 2026 3:15 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌથી પહેલા તેઓ ઝવેરચંદ મેઘાણી સભાગૃહ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 156 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ જવાહર મેદાનમાં નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિરની મુલાકાત લેશે....

જાન્યુઆરી 16, 2026 3:14 પી એમ(PM)

views 24

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોકોની શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિ અંગે સન્ડે ઑન સાઈકલ મુહીમ શરૂ કરી છે. એક વર્ષ પહેલા 40 કિલોમીટરથી શરૂ થયેલી આ સાઈકલયાત્રા 150 કિલોમીટર સુધી પહોંચી છે. સાઈકલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

જાન્યુઆરી 16, 2026 3:13 પી એમ(PM)

views 16

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા.

કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, સવારે પાંચ વાગ્યેને 47 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરના ખેંગારપર નજીક નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા બે પૂર્ણાંક પાંચની માપવામાં આવી હતી.

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 22

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો.

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો છે. 78-મા ભારતીય સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાહસિક અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં સેનાના 21 જવાન 400 કિલોમીટરનું અંતર કાપશે. અભિયાન દરમિયાન જવાનો રણની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તેમજ...

જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

views 29

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી ઍમ્બુલેન્સ સેવામાં અકસ્માતના 45 કેસ નોંધાયા. જ્યારે ધાબા પરથી પડવા અને દોરીથી ઇજાગ્રસ્ત થયાના 43 કેસ નોંધાયા છે. જ્યારે વિસનગરમાં 43 પક્ષી ઇજાગ્રસ્ત અને ત્રણ કબૂતરના મોત થયાના અહેવાલ છે.