સપ્ટેમ્બર 1, 2026 10:41 એ એમ (AM)

printer

નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 900થી વધુના મોત – 4247થી વધુ લાપતા

નેપાળમાં બચાવ ટીમો ત્રિશુલી- હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર કાદવવાળી સુરંગોમાં ફસાયેલા 600 થી વધુ કામદારો સુધી પહોંચવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. બચાવ ટીમો વિસ્ફોટકો, ભારે મશીનરી અને એર પંપનો ઉપયોગ કરીને ટનલ સાફ કરી રહી છે અને બચી ગયેલા લોકોને શોધી રહી છે.

નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અત્યાર સુધીમાં 939 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,925 ગુમ છે. આ ગુમ થયેલા લોકોમાં 592 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી 279 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે દેશભરમાં 11 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતો સાથે નેપાળ અને ચીનની  લશ્કરી ટીમો બચાવ કામગીરીમાં સહયોગ કરી રહી છે.

ભારતે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ખાસ ટીમો મોકલી છે. 19 સભ્યોની ભારતીય ફોરેન્સિક ટીમ DNA પરીક્ષણમાં મદદ કરી રહી છે. ભારતીય ટનલ બચાવ ટીમો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં 26 ઓગસ્ટથી ગુમ થયેલા 933 કામદારો અને કર્મચારીઓને શોધવામાં નેપાળી અધિકારીઓને મદદ કરી રહ્યા છે.