આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)

views 54

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો – હજુ પણ બાર લોકો ગુમ છે

વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. ...

નવેમ્બર 22, 2025 2:14 પી એમ(PM)

views 43

પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત.

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શહાબ ટાઉન કબડ્ડી સ્ટેડિયમ નજીક એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 31 વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

નવેમ્બર 21, 2025 7:59 પી એમ(PM)

views 39

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે એક ઇમારત અને આસપાસના માળખાં ધરાશાયી થયા હતા. ફૈસલાબાદ કમિશનર ઓફિસે અહેવાલ આપ્યો છે કે કાટમાળમાંથી તમામ 15 મૃતદેહો બહાર કા...

નવેમ્બર 20, 2025 1:51 પી એમ(PM)

views 47

ભારતે UAEના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો સમાવેશ કરીને વિઝા-ઓન-અરાઇવલ- સુવિધાનો વ્યાપ વધાર્યો.

ભારતે સંયુક્ત આરબ અમીરાત-UAEના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો સમાવેશ કરીને વિઝા-ઓન-અરાઇવલ- VoA સુવિધાનો વ્યાપ વધાર્યો છે. આ પગલા સાથે, UAE ના નાગરિકો હવે સમગ્ર ભારતમાં નવ મુખ્ય પ્રવેશ બિંદુઓ પર VoA ની સુવિધા મેળવી શકશે. આ સુવિધા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બે...

નવેમ્બર 20, 2025 7:32 એ એમ (AM)

views 47

ગાઝામાં ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં 25 લોકોનાં મોત

હમાસ નિયંત્રણ હેઠળના ગાઝામાં ઇઝરાયલના ચાર હવાઈ હુમલામાં 25 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગાઝા શહેરના ઉપનગર ઝેઇતુનમાં 10 લોકો, પૂર્વમાં શેજૈયા ઉપનગરમાં બે અને બાકીના દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં બે અલગ અલગ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લગભગ ...

નવેમ્બર 19, 2025 7:53 પી એમ(PM)

views 41

યુક્રેનમાં રશિયાએ ડ્રૉન અને મિસાઇલથી કરેલા હુમલામાં 19 લોકોના મોત

યુક્રેનમાં રશિયાના ડ્રૉન અને મિસાઇલના ભીષણ હુમલામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ટેરનૉપિલ શહેરના બે ઍપાર્ટમૅન્ટ ઇમારતો પર થયેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત દળે હાલ કાટમાળમાં ફસાયેલા લોકોની તપાસ હાથ ધરી છે. યુક્રેને જણાવ્યું, રશિય...

નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM)

views 51

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વ...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 53

બે અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો.

અમેરિકન પ્રતિનિધિઓ ડેમોક્રેટ અમી બેરા અને રિપબ્લિકન જો વિલ્સન, બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, આતંકવાદ વિરોધી અને શિક્ષણ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્...

નવેમ્બર 18, 2025 1:58 પી એમ(PM)

views 42

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશનાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને કરાયેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશની અદાલત દ્વારા ગેરહાજરીમાં લાદવામાં આવેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો છે. તેમના દૈનિક મીડિયા બ્રીફિંગ દરમિયાન, યુએન ચીફના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર કોઈપણ સંજોગોમાં મૃત્યુદંડન...

નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM)

views 43

ભારતીયોને નોકરીની લાલચ આપી ફસાવવાના કેસ વધતા ઈરાન સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા બંધ કરી.

ઈરાનમાં હવે ભારતીયોને વિઝા-ફ્રી સુવિધા નહી મળે. ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ઈરાને બંધ કરી દીધી છે. ઈરાનમાં ભારતીયોને ફસાવવાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. ભારતીયોને નોકરીની લાલચે ઈરાન લવાતા હોવાના વધતા કિસ્સા બાદ આ ઇરાન સરકારે આ નિર્ણય લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.