ઓગસ્ટ 4, 2026 12:22 પી એમ(PM)

views 23

વરસાદને કારણે છલકાઇ ગયેલા રાજ્યના 34 ડેમ હાઇએલર્ટ પર – નર્મદા ડેમમાં 78 ટકા જળસંગ્રહ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો. નાણાપોંઢા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં સવા એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો.રાજ્યમાં હાલ 34 બંધ હાઇ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78 ટકા જળસંગ્રહ થયો. વરસાદ દર...

ઓગસ્ટ 4, 2026 12:15 પી એમ(PM)

views 22

સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ

સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના લોકમેળાઓની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે એક માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓએ આખરી ઓપ લેવાનું શરૂ કરી દીધું છે. ચોપાટીન...

ઓગસ્ટ 3, 2026 8:01 પી એમ(PM)

views 35

રાજ્યસભાએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું

રાજ્યસભાએ આજે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘ...

ઓગસ્ટ 3, 2026 7:58 પી એમ(PM)

views 29

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી-બાંકીપુરમાં જન સુરાજ પાર્ટીનો વિજય

ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે, જ્યાં તેમના ઉમેદવાર સતેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55 હજાર 481 મત મળ્યા હતા, જ્યારે શ્રી રબારીને 2...

ઓગસ્ટ 3, 2026 7:54 પી એમ(PM)

views 15

સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપરલીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર

સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલી FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખં...

ઓગસ્ટ 3, 2026 7:51 પી એમ(PM)

views 18

જુલાઈમાં 23 અબજ 66 કરોડથી વધુ વ્યવહારો UPIથી થયા

ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI એ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29 લાખ 88 હજાર કરોડ રૂપિયાના 23 અબજ 66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છ...

ઓગસ્ટ 3, 2026 7:28 પી એમ(PM)

views 15

સાબરકાંઠામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ સ્થિત શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન એડોલેસન્ટ કાઉન્સેલરશ્રીએ કિશોરીઓને માસિક ચક્ર તથા માસિક સ્વ...

ઓગસ્ટ 3, 2026 7:24 પી એમ(PM)

views 12

વલસાડના ઘડોઈમાં દીપડાનું ટોળું દેખાયું, લોકોમાં ફફડાટ

વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં રાત્રિના સમયે એકસાથે અનેક દીપડાઓનું ટોળું આવી ચઢતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. ગામની સીમમાં દીપડાઓની હિલચાલનો વીડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિસ્તારમાં સઘન મોનિટરિંગ અને પેટ્રોલિંગ શરૂ...

ઓગસ્ટ 3, 2026 7:19 પી એમ(PM)

views 16

જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની મેગા ડ્રાઇવ: 38 સ્થળોએ ચેકિંગ, 111 કિલો વાસી ફૂડનો નાશ

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 38 જેટલા સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરીને 111 કિલો વાસી ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે, સાથે જ શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં...

ઓગસ્ટ 3, 2026 7:18 પી એમ(PM)

views 43

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 35 પોઝિટિવ કેસ અને 22 બાળકોના મોત થતાં તંત્ર એલર્ટ

ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વાયરસની વર્તમાન સ્થિતિ અંગે તથ્યો રજૂ કરતા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી સા...