ઓગસ્ટ 3, 2026 7:54 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપરલીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર

સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલી FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સમજાવ્યું કે “ગુનાહિત ભૂતકાળ” ધરાવતા વિરોધીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપતો તેમનો 28 જુલાઈનો આદેશ ફક્ત ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓ પર જ લાગુ કરવાનો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.