રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2026 9:16 એ એમ (AM)

views 27

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું છે. કાયદા અંગે વિપક્ષની ટીકાને ખોટી અને ભ્રામક ગણાવતા, સરકારે જણાવ્યું કે, આ કાયદો દરેક ગ્રામીણ પરિવાર માટે ઓછામાં ઓછા 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે. સરકારે જણાવ્યું કે, કામ કરવાના અધિકારને...

જાન્યુઆરી 19, 2026 9:07 એ એમ (AM)

views 32

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 મહિલા સહિત છ માઓવાદીના મોત

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. ચાર માઓવાદીની ઓળખ થઈ ચૂકી છે જ્યારે બાકીના બે ની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.અધિકારીઓએ પુષ્ટિ કરી કે માઓવાદી દિલીપ બેડજા લાંબા સમયથી ઇન્દ્રાવતી રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોમાં સક્રિય હતો અને રાજ્...

જાન્યુઆરી 19, 2026 9:05 એ એમ (AM)

views 53

UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવાય તેવી અપેક્ષા...

જાન્યુઆરી 19, 2026 8:16 એ એમ (AM)

views 46

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”માં જોડાવવા આમંત્રણ આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત "બોર્ડ ઓફ પીસ"નો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.આ સંદર્ભમાં શ્રી ટ્રમ્પે પ્રધાનમંત્રીને એક પત્ર મોકલ્યો છે. પોતાના પત્રમાં, શ્રી ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક સંઘર્ષ...

જાન્યુઆરી 19, 2026 8:15 એ એમ (AM)

views 38

ભારતીય પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક શરૂ થશે. ૫૬મી વાર્ષિક બેઠકમાં ત્રણ હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ આર્થિક મંચ, સ્વિસ સરકાર તથા સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં આશરે 90 લાખ સ્વિસ ફ્રાન્ક ખર્ચ થવાનો અંદાજ છે. વિશ્વ આર્થિક મંચનો મુખ્ય વિષય ‘...

જાન્યુઆરી 19, 2026 8:09 એ એમ (AM)

views 47

ચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના, જ્યારે સ્પેનમાં ટ્રેન અકસ્માતમાં 21ના મોત

ચિલીમાં દક્ષિણ અને મધ્યના વિસ્તારોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 18ના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબાયો અને ન્યુબલ પ્રદેશમાં આપત્તિજનક સ્થિતિ જાહેર કરી છે. આગથી જંગલની જમીનનો નાશ થયો છે અને લગભગ ત્રણ હજાર ઘરો જોખમમ...

જાન્યુઆરી 18, 2026 7:45 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ બાલાગઢ ખાતે વિસ્તૃત બંદર ગેટવે પ્રણાલિનો શિલાન્યાસ પણ કર્યો, જેમાં એક આંતરિક જળ પરિવહન ટર્મિનલ અને એક ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રસંગે...

જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જ...

જાન્યુઆરી 18, 2026 7:42 પી એમ(PM)

views 26

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ દેશના બંધારણને નષ્ટ કરી રહી છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ - ટીએમસી દેશના બંધારણને નષ્ટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ તરફથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્ર...

જાન્યુઆરી 18, 2026 7:41 પી એમ(PM)

views 26

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરશે.

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 7 હજાર 500 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને પાછલા નાણાકીય વર્ષમાં 6 હજાર 800 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ ક...