દેશભરમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાની ભાવનાને પ્રોત્સાહન આપવા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે અને જનભાગીદારીનું મોટું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે.
આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે, કારણ કે ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ સાથે આ ઉજવણી જોડાઈ છે. દેશભરમાં સામૂહિક રીતે ‘વંદે માતરમ્’નું ગાન પણ યોજાશે.
દિલ્હીમાં ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે માલવિયા નગરમાં પંડિત મદન મોહન માલવિયાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ પિલાંજી ગામથી ગ્રેટર કૈલાશ સુધી તિરંગા યાત્રા યોજી. તેમણે જણાવ્યું કે આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે ભારત 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે.