ઝારખંડ સરકારે JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ પર સંમતિ સાધી છે. રાજ્ય મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ જણાવ્યું હતું કે, સરકાર 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા અને 2023-25ની બેકલોગ પરીક્ષાઓ રદ કરવા માટે સંમત થઈ છે.
રાજ્ય સરકાર અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે આજે વાતચીત બાદ મીડિયા સાથે વાત કરતા મંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, સરકારે કથિત નાણાકીય ગેરરીતિઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ, ગુનાહિત પાસાઓની CID તપાસ અને 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના માટે પણ સંમતિ દર્શાવી છે.
પરીક્ષા પ્રણાલીમાં સુધારાની ભલામણ કરવા માટે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-રાંચી અને XLRI ના પ્રતિનિધિઓની બનેલી એક નિષ્ણાત સમિતિની પણ રચના કરવામાં આવશે. જોકે, JSSC CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ માટેની વિદ્યાર્થીઓની માંગણીઓ પર કોઈ સંમતિ સાધી શકાઈ નથી. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમનું આંદોલન ચાલુ રહેશે.