જાન્યુઆરી 6, 2026 7:11 પી એમ(PM)

views 47

શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ જૂનાગઢના પશુપાલક અરજણ ઓડેદરા રાજ્ય કક્ષાએ પ્રથમ

પશુપાલન રાજ્ય મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ” યોજાયો.તેમાં રાજ્ય,જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા 565 શ્રેષ્ઠ પશુપાલકોને કુલ 91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા. સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ...

જાન્યુઆરી 6, 2026 7:08 પી એમ(PM)

views 39

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

આગામી 24 કલાક રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે તેમ હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

જાન્યુઆરી 6, 2026 7:07 પી એમ(PM)

views 25

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો વિજય

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સર્વિસિસ સામે સૌરાષ્ટ્રનો 111 રને વિજય થયો છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 349 રન કર્યા હતા. ટીમના કપ્તાન હાર્વિક દેસાઇએ શાનદાર સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. 350 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સર્વિસિસની ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ...

જાન્યુઆરી 6, 2026 3:26 પી એમ(PM)

views 17

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ.

રાજ્યના ત્રણ હજાર 691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર્તાઓની બે દિવસની તાલીમ સંપન્ન થઈ. આ સાથે બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને નવી ઊર્જા મળશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. તાલીમમાં બાળકોના ભણતરમાં ગુણાત્મક બદલાવ પર વિશેષ ભાર અપાયો. હવે, કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાય...

જાન્યુઆરી 6, 2026 3:25 પી એમ(PM)

views 33

PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, લીંબડી અને ધ્રાંગધ્રાના ગામોમાં તપાસ હાથ ધરી. આ દરમિયાન ઘર વપરાશના 3 હજાર 212, વાણિજ્યના 56 અને ખેતીવાડીના 23 સહિત કુલ 3 હજાર 291 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. જેમાં 565 વીજ જોડાણોમાં ગેરરીતિ સામ...

જાન્યુઆરી 6, 2026 3:24 પી એમ(PM)

views 43

ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો. IIT ગાંધીનગરના જિબાબેન પટેલ સ્મૃતિ સભાગારમાં BIS સ્થાપના દિવસ અને ગુણવત્તા પરિષદનું આયોજન કરાયું. તેમાં BISની ભૂમિકા અને રાજ્યના ઉદ્યોગોમાં તેની સિદ્ધિને ઉજાગર કરવામાં આવી

જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

views 22

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું છે. ટ્રેન સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 11 વાગીને 23 મિનિટે અને પ્રસ્થાન સમય રાત્રે 11 વાગીને 25 મિનિટનો રહેશે. આ વ્યવસ્થા 20 ફેબ્રુઆરી સુધી અમલમાં...

જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

views 31

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલિટમાં આજે સૌરાષ્ટ્ર અને સર્વિસિસ વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 349 રન કર્યા છે. ટીમના કપ્તાન હાર્વિક દેસાઇએ શાનદાર સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. બીજી તરફ સર્વિસિસના બોલર પુલકિત નારંગે 3 વિકેટ ઝડપી. સર્વિસિસને જી...

જાન્યુઆરી 6, 2026 2:03 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં HPCLની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ અત્યાધુનિક સુવિધા આત્મનિર્ભર ...

જાન્યુઆરી 6, 2026 2:05 પી એમ(PM)

views 21

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને યોગ્ય ઠરવ્યો.

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપથૂન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ જી. જયચંદ્રન અને કેકે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથૂન જે સ્થળે સ્થિત છે તે સ્થાન ભગવાન સુબ્રમણ્યમ સ્વામી ...