ઓગસ્ટ 9, 2026 11:44 એ એમ (AM)

views 29

વૃક્ષોનું જતન સૌની સામુહિક જવાબદારી ગણાવતા – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સોનગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી સંઘવીએ કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી છે. સાદડવેલ ગામે યોજાયેલા આ વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ...

ઓગસ્ટ 9, 2026 11:40 એ એમ (AM)

views 12

ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી – છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યની 1 હજાર 153 પેઢીઓની તપાસ કરવામાં આવી

ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી છે. 6થી 8 ઓગસ્ટ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમોએ રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરી હતી. રાજ્યભરમાં 1 હજાર 153 પેઢીઓની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 79 નમૂના લેવાયા, જ્યારે 1 હજાર 518 કિલોગ્રામ જથ્થો નાશ કરાયો છે. નાશ કરાયેલા જથ્થાની કિંમત 5.83 લાખ...

ઓગસ્ટ 9, 2026 11:39 એ એમ (AM)

views 155

રાજ્યભરમાં આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યભરમાં આજે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી પરિવારોના જીવનની સરળતામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી આપવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ અને નવી મેડિકલ સાયન્સ કોલ...

ઓગસ્ટ 9, 2026 11:31 એ એમ (AM)

views 17

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી છે, જેમાં મદ્રાસ હાઇકોર્ટને નવી નિમણૂકોનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ, નિમણૂકોમાં 20 વકીલો અને 10 ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કુ...

ઓગસ્ટ 9, 2026 11:23 એ એમ (AM)

views 35

ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક...

ઓગસ્ટ 9, 2026 11:21 એ એમ (AM)

views 34

ભારતના સાગ્નિક રોય અને સાયંતન કુશારીએ વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતના સાગ્નિક રોય અને સાયંતન કુશારીએ ચીનના હેફેઈમાં આયોજિત 9મી વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશિપમાં અંડર-31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રથમ એલિમિનેશન રાઉન્ડમાં 34 જોડીએ ભાગ લીધો હતો, જેમાં ટોચની 14 જોડી ફ્લાઇટ એ માટે ક્વોલિફાય થઈ હતી. ભારતીય જોડી ફાઇનલમાં પણ જગ્યા બનાવવામાં સફ...

ઓગસ્ટ 9, 2026 11:18 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મકભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ,મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાનીતેમની ...

ઓગસ્ટ 9, 2026 11:17 એ એમ (AM)

views 21

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ...

ઓગસ્ટ 8, 2026 6:46 પી એમ(PM)

views 17

૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમરેલીમાં વોકેથોનનું આયોજન, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાવવા એક વિશાળ ‘વોકેથોન’(W...

ઓગસ્ટ 8, 2026 6:41 પી એમ(PM)

views 26

મહેસાણાના સદુથલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી, પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસનગર તાલુકાના સદુથલા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિષ્ણુભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વર્ણવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખે...