ઓગસ્ટ 10, 2026 10:26 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા અને વાતચીત કરી હતી. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખલી ખડસે હાજર રહ્યા હતા. 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસ...

ઓગસ્ટ 10, 2026 10:22 એ એમ (AM)

views 36

તપાસ સમિતિની રચના કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબની આત્મહત્યા કેસમાં કડક કાર્યવાહીના આદેશ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા છે.મંત્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દ...

ઓગસ્ટ 10, 2026 10:17 એ એમ (AM)

views 22

ખેડાના ધોળીકૂઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતું બિનઅધિકૃત ઉત્પાદન – વેચાણ નેટવર્ક ઝડપાયું

ખેડાના ધોળીકૂઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કને ઝડપીને 66 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નડિયાદના મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી ...

ઓગસ્ટ 10, 2026 10:21 એ એમ (AM)

views 16

દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી

નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે.જમ્મુ અને કાશ્મીરમાં, તમામ 20 જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમો શ્રેણીબંધ રીતે 17 ઓગ...

ઓગસ્ટ 10, 2026 10:13 એ એમ (AM)

views 50

સિંહના સંવર્ધન, રક્ષણ અને જાગૃતિ અંતર્ગત આજે વિશ્વ સિંહ દિવસની ગીર સહિતના 11 જીલ્લાઓમાં ઉજવણી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે ગીર જંગલ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. ઉજવણી અંતર્ગત સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ રેલી, પરીસંવાદ, વિવિધ શાળાઓમાં ચિત્રસ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા અને ગીરવાસીઓ અને માલધારીઓ સાથે ગીર સંવાદ કાર્યક્...

ઓગસ્ટ 10, 2026 10:08 એ એમ (AM)

views 33

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 81 ટકા જેટલો જળસંગ્રહ – 39 ડેમ હાઇએલર્ટ પર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લગભગ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70 ટકા જટેલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 29 ટકા વરસ્...

ઓગસ્ટ 10, 2026 10:01 એ એમ (AM)

views 32

જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલની બે મેચ રમાશે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ - 2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છની ટીમોએ ગ્રુપ ટોપ કરી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાનારી પ્રથમ સેમી ફાઇનલ મેચ બનાસકાંઠા અને અમદાવાદની ટીમો વચ્ચે અને બીજી સેમી ફાઇનલ મેચ કચ્છની ટીમ અને...

ઓગસ્ટ 9, 2026 6:59 પી એમ(PM)

views 12

અમદાવાદ એરપોર્ટ પર 66 લાખનું સોનું ઝડપાયું

કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ગોધરાના એક મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. સોનાની પેસ્ટ બનાવી તેને શરીરના મળાશયમાં છુપાવીને લાવવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કસ્ટમ્સ અમદાવાદના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ પેસે...

ઓગસ્ટ 9, 2026 6:44 પી એમ(PM)

views 19

હર ઘર તિરંગા અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ

દેશભરમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાની ભાવનાને પ્રોત્સાહન આપવા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે અને જનભાગીદારીનું મોટું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે, કારણ કે ભારતના રાષ્ટ્રીય ગીત ‘...

ઓગસ્ટ 9, 2026 6:41 પી એમ(PM)

views 15

ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતેથી ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્સિવાયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી. એન. એસ. રાજશેખરન તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી. પી. ર...