જાન્યુઆરી 11, 2026 1:06 પી એમ(PM)

views 54

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે : DGCA

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. એક નિવેદનમાં DGCA એ જણાવ્યું કે, ગઈકાલે ઓડિશાના રાઉરકેલા નજીક ક્રેશ લેન્ડ થયેલું આ વિમાન બપોરે ભુવનેશ્વરથી રવાના થયું હતું અને ક્રૂએ રાઉરકેલા ATC માટે "મેય ડે" જાહેર કર્યું હતું. બપોરે 1 વા...

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 39

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર...

જાન્યુઆરી 11, 2026 2:38 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. ચાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં આ બીજી પરિષદ છે, જે સફળ "વાઇબ્રન્ટ ગુજરાત" મોડેલનું વિકેન્દ્રીકરણ ...

જાન્યુઆરી 11, 2026 1:01 પી એમ(PM)

views 14

BSF એ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં, સરહદ પારથી થતી દાણચોરીની ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સતર્કતા વધારી દીધી છે. ગુરેઝ, ઉરી, કરનાહ અને તંગધાર સેક્ટર સહિતના મુખ્ય સરહદી ક્ષેત્રો તેમજ જમ્મુ ક્ષેત્રના મહત્વપૂર્ણ વિસ્તારો પર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર, BSF ...

જાન્યુઆરી 11, 2026 1:00 પી એમ(PM)

views 41

અમેરિકાએ વેનેઝુએલામાં વસતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા સૂચના આપી

અમેરિકન દુતાવાસ બ્યૂરોએ વેનેઝુએલામાં રહેતા અમેરિકાના નાગરિકોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં તાત્કાલિક દેશ છોડી દેવા વિનંતી કરી છે. બ્યુરોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં સુરક્ષા પરિસ્થિતિ અસ્થિર રહે છે, અને સશસ્ત્ર બળવાખોર જૂથો રસ્તાઓ અવરોધ ઊભા કરી રહ્યા છે અને વાહનોન...

જાન્યુઆરી 11, 2026 7:23 પી એમ(PM)

views 27

વડોદરામાં રમાયેલી ત્રણ મૅચની ODI શ્રેણીની પહેલી મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો

ક્રિકેટમાં ભારત આજે વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે રમી રહ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા. હાલમાં મળતાં અહેવાલ મુજબ, શુબમન ગિલના સુકાની હેઠળની ભારતીય ટીમે _______ ઑવરમાં _______ વિ...

જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)

views 71

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું. ગઇકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા.જવાબમાં, યુપી વોરિયર્ઝે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 197 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. નવી ...

જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)

views 37

સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો, છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ

રાજ્યમાં ગઇકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડયો છે ત્યારે આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને ત્યારબાદ ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. દરમ...

જાન્યુઆરી 11, 2026 9:48 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રીની અમદાવાદની મુલાકાતને લઇને સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે. તેમના અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસ દરમિયાન સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદના સેક્ટર-1ના આઈપીએસ નીરજકુમાર બડગુજરે સલામતીની વ્યવસ્થા અંગે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલરની અમદાવાદની મુલાકાત લઈને સાબરમતી આશ્રમ અને પતંગ મહ...

જાન્યુઆરી 11, 2026 9:46 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાંજે સોમનાથમાં મંત્રજાપમાં ભાગ લીધો, દરિયાકિનારે અદભૂત ડ્રોન શો નિહાળ્યો, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રે સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ મંદિર પરિસરના વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ આગામી આયોજન અંગેની પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ચર્ચ...