જાન્યુઆરી 7, 2026 7:02 પી એમ(PM)

views 78

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યા માટે ભરતીની જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો નવથી 29 જાન્યુઆરી સુધી આ માટે ઑનલાઈન અરજી કરી શકશે. સત્તાવાર યાદી મુજબ, વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 172 અને ટૅક્નિકલ ઑપરેટરની 698 મળી 870 જ...

જાન્યુઆરી 7, 2026 7:00 પી એમ(PM)

views 22

અમદાવાદ અને સુરતમાંથી કેફી પદાર્થ સાથે ચાર લોકોની ધરપકડ.

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પુણા વિસ્તારમાં ચાલતી એક પ્રયોગશાળામાંથી આ ત્રણેય લોકો કેફી પદાર્થનું વેચાણ કરતા હતા. SOGએ તમામ સામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું. બીજી તરફ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી 504 ગ્રામ કેફી પદા...

જાન્યુઆરી 7, 2026 6:59 પી એમ(PM)

views 24

દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર સ્પર્ધામાં હિમાચલ પ્રદેશ સામે દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવનો વિજય.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર રમતમાં દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવની ટીમનો વિજય થયો છે. દીવના સુંદર બીચ ઍરેના ખાતે રમાયેલી મૅચમાં ટીમે હિમાચલ પ્રદેશને 15—1થી હરાવ્યું હતું. ટીમના સુકાના જય નિતેશ હલપટ્ટીએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. દાદરા અને નગર હવેલી અને દમ...

જાન્યુઆરી 7, 2026 2:14 પી એમ(PM)

views 33

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા.

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં જન્મજાત હદય રોગની ખામી ધરાવતા 264 બાળકો મળી આવ્યા. જેમાંથી હદય રોગની ગંભીર બીમારી ધરાવતા 64 બાળકોની અમદાવાદની હોસ્પિટલમાં એક કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે સર્જરી કરી તેમને સ્વસ્...

જાન્યુઆરી 7, 2026 2:14 પી એમ(PM)

views 25

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ બનાવવાની પ્રયોગશાળા પકડી પાડી.

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ બનાવવાની પ્રયોગશાળા પકડી પાડી છે. પુણા વિસ્તારમાં ચાલતી આ પ્રયોગશાળામાં ત્રણ લોકો કેફી પદાર્થ બનાવી તેનું વેચાણ કરતા હતા. આ અંગેની માહિતી મળતા SOG પોલીસે પ્રયોગશાળામાંથી તમામ સામાન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જાન્યુઆરી 7, 2026 2:13 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી છે. રાજ્યના ઇન્ચાર્જ DGP ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે. પ્રધાનમંત્રીના વિવિધ જિ...

જાન્યુઆરી 7, 2026 2:11 પી એમ(PM)

views 24

કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે.

કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે. તેમાં 18 દેશના 45 તથા સાત રાજ્યના 23 પતંગબાજ ભાગ લેવા આવશે. જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાના...

જાન્યુઆરી 7, 2026 2:07 પી એમ(PM)

views 24

રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી.

રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સત્તાવાર જાહેરાત મુજબ પોલીસ ભરતી બોર્ડે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ-૩ ટેકનિકલ જગ્યાઓ માટે પર ભરતી કરાશે, જેમાં વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર-P...

જાન્યુઆરી 7, 2026 2:06 પી એમ(PM)

views 27

રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું.

રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું છે. મેળામાં પાંચ લાખથી વધુ લોકોએ બે હજાર 300થી વધુ હાટડીની મુલાકાત લીધી હતી. આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હાથસાળ, પરંપરાગત ખાદ્યપદાર્થ, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પ...

જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM)

views 22

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદી તાલીમ શિબિર ચલાવવા બદલ પાકિસ્તાનની ટિકા કરી.

ભારતે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદને ટેકો આપવા માટે તાલીમ શિબિરો ચલાવવાના પ્રયાસો કરવા બદલ ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં મીડિયાને સંબોધન કરતી વખતે આ વાત કહી. યુરોપ સાથેના સંબંધો અંગે, મંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત યુરોપ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. તેમણે આશા વ્યક્ત કરી ...