આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 3, 2025 2:10 પી એમ(PM)

views 37

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ પૂર અને ભૂસ્ખલનથી 474 લોકોના મોત

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો છે, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ દિવસો સુધી ચાલેલા ભારે પૂર અને ભૂસ્ખલન પછી 474 લોકોના મોત અને 356 લોકો ગુમ થયાની પુષ્ટિ કરી છે. કેન્ડી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે, જેમાં 118 લોકોના મોતના અહેવાલ છે. ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ માનવતાવ...

ડિસેમ્બર 2, 2025 2:28 પી એમ(PM)

views 50

રશિયાનું 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્યાંક.

રશિયા 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્તુરોવે એક મુલાકાતમાં આ વાત કહી હતી અને આ લક્ષ્યને ખરેખર મહત્વાકાંક્ષી ગણાવ્યું હતું. મન્તુરોવે કહ્યું કે રશિયા સહકાર માટેની પરિસ્થિતિઓમાં સુધારો કરીને વ્યાપારિક સંબંધોને સમર્થન...

ડિસેમ્બર 2, 2025 2:21 પી એમ(PM)

views 41

ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર અમેરિકન કાયદા નિર્માતાઓના જૂથ સાથે ફળદાયી વાતચીત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ક્વાત્રાએ કહ્યું કે વોશિંગ્ટનમાં રાજદૂતના સત્તાવાર નિવાસસ્થાન, ઇન્ડિયા હાઉસ ખાતે યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામ, રિચાર્...

ડિસેમ્બર 2, 2025 2:20 પી એમ(PM)

views 36

ઇમરાન ખાન અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પીટીઆઈએ આજે ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને રાવલપિંડીની અદિયાલા જેલ બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પક્ષના નેતાઓ અને તેમના પરિવાર માટે પણ સંપર્ક વિહોણા રહ્યા છે. સરકારે સભા સરઘસ બંધી ફરમાવી છે.જેના કારણે ખાનની સ્થિતિ...

ડિસેમ્બર 1, 2025 2:19 પી એમ(PM)

views 38

ઇન્ડોનેશિયામાં વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 442 થયો.

ઇન્ડોનેશિયામાં ચક્રવાત વાવાઝોડાના કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા 442 સુધી પહોંચી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે જણાવ્યું, ઉત્તર સુમાત્રા, પશ્ચિમ સુમાત્રા અને આચે પ્રાન્તમાં 402 લોકો હજી પણ ગુમ છે. મોટા ભાગનો વિનાશ સુમાત્રા ટાપુમાં થયો છે. મધ્ય તપનૌલી અને સિબોલ્ગામાં...

નવેમ્બર 29, 2025 1:54 પી એમ(PM)

views 46

ઇન્ડોનેશિયામાં, આચેહ, ઉત્તર અને પશ્ચિમ સુમાત્રામાં સુનામી, ભૂકંપ અને પૂરથી મૃત્યુઆંક વધીને 248 થયો-100થી વધુ લોકો લાપતા.

ઇન્ડોનેશિયામાં, આચેહ, ઉત્તર સુમાત્રા અને પશ્ચિમ સુમાત્રામાં સુનામી, ભૂકંપ અને પૂરથી મૃત્યુઆંક વધીને 248 થયો છે, જ્યારે 100થી વધુ લોકો હજુ પણ લાપતા છે. બચાવ કાર્યકરો ઘણા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અધિકારીઓ જણાવે છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તૂટેલા રસ્તાઓ અને સંદેશાવ્યવહાર લાઇનો ...

નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM)

views 79

હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો

હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો છે. 280 થી વધુ લોકો લાપતા છે. અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા વધુ વધી શકે છે કારણ કે હજુ પણ ઘણા લોકો ઇમારતોમાં ફસાયેલા છે. કુલ 76 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે અ...

નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM)

views 54

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ એક અનુમાનમાં જણાવ્યું કે, વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. વસ્તુ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે. ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્...

નવેમ્બર 27, 2025 2:10 પી એમ(PM)

views 38

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થઈ ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લામાં સાત સ્થળોએ ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓ બાદ સાત લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે જમીન ધસી જવાની ઘટનામાં બચાવ અને રાહત કામગીરી થઇ રહી છે. અધિકારીઓના અહેવાલ મુજબ બદુલ્લાના ઘણા ભાગમાં ભૂસ્ખલન થયા...

નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)

views 84

ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું

હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કો...