સપ્ટેમ્બર 5, 2026 1:25 પી એમ(PM)

views 15

દમણની શિક્ષિકા પૂર્ણિમા પટેલને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મળ્યો

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના 82 ઉત્કૃષ્ટ શિક્ષકોને 'રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા. આ યાદીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનું ગૌરવ વધારતા દમણની દલવાડા સરકારી શાળાના શિક્ષિકા પૂર્ણિમા મોહનલાલ પટેલને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સ...

સપ્ટેમ્બર 5, 2026 1:17 પી એમ(PM)

views 38

નેપાળ પૂર હોનારત: વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ, ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રી મોકલાઈ

વિદેશ મંત્રાલયે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 3 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ હોનારતમાં નેપાળનો કુલ મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો છે, જ્યારે ભારત દ્વારા પાડોશી ધર્મને નિભાવીને અત્યાર સુધીમાં 95 ટન રાહત સામગ્રી પૂરી પાડવામાં ...

સપ્ટેમ્બર 5, 2026 1:07 પી એમ(PM)

views 7

બિહારમાં પૂરનો કહેર: ગંગા ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહી છે, 16 જિલ્લાઓ પ્રભાવિત

બિહારમાં ગંગા, ગંડક અને કોસી સહિતની મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 16 જેટલા જિલ્લાઓ પૂરની લપેટમાં આવી ગયા છે, જેમાં પાટનગર પટના સહિત 14 જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે. નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી હોવાથી સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ ...

સપ્ટેમ્બર 5, 2026 1:04 પી એમ(PM)

views 4

UGC-NET 2026: ભૂલોની ફરિયાદો બાદ 3 વિષયોની પુનઃપરીક્ષા જાહેર, એડમિટ ઇશ્યૂ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી UGC-NET જૂન 2026 ની પુનઃપરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં કેટલીક ખામીઓ સર્જાતા અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરીથી લેવાનો નિર્...

સપ્ટેમ્બર 5, 2026 1:01 પી એમ(PM)

views 9

ગીધ જાગૃતિ દિવસ : ગીધ એ કુદરતની ‘સફાઈ ટીમ’ છે, પર્યાવરણની સુરક્ષા માટે તેમનું રક્ષણ અત્યંત જરૂરી

આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશના પર્યાવરણીય ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગીધના રક્ષણની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગીધને કુદરતની પોતાની 'સફાઈ ટીમ' ગણાવીને ઇકોસિસ્ટમમાં તે...

સપ્ટેમ્બર 5, 2026 12:58 પી એમ(PM)

views 7

શિક્ષકો જ્ઞાન અને કૌશલ્યથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સશક્ત બનાવે છે: કેન્દ્રીય શિક્ષણ મંત્રી

શિક્ષક દિવસ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ દેશભરના શિક્ષકોના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને આત્મવિશ્વાસ જગાડી તેમનું ભવિષ્ય ઘડે છે. ...

સપ્ટેમ્બર 5, 2026 10:21 એ એમ (AM)

views 14

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શ...

સપ્ટેમ્બર 5, 2026 10:13 એ એમ (AM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસે શિક્ષકોને તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસ પ્રસંગે શિક્ષકોને સતત તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રતિભાને પોષવામાં અને તેમના ચારિત્ર્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર...

સપ્ટેમ્બર 5, 2026 10:08 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજ SRCC દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. જે વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટના અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ કોલેજની સ્...

સપ્ટેમ્બર 5, 2026 10:00 એ એમ (AM)

views 8

વિદેશમંત્રીએ જણાવ્યું કે, ભારત રશિયા અને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવામાં મદદ કરી શકે એવા ઉપાય શોધી રહ્યું છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે. ભારત એવા સૂચનો પર વિચાર કરી રહ્યું છે જે સંઘર્ષ ઘટાડવા અથવા સમાપ્ત કરવામાં મદદ કરી શકે. વોર્સોમાં પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું હતું કે યુદ્ધમાં કોઈ વિજેતા નથ...