પ્રાદેશિક સમાચાર

જુલાઇ 22, 2024 3:50 પી એમ(PM)

views 43

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 108 જેટલા તાલુકાઓમાં આજે હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 11 ઈંચ વરસાદ દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદ...

જુલાઇ 22, 2024 3:47 પી એમ(PM)

views 45

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમનું ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આજે બંને નેતાઓ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભા...

જુલાઇ 22, 2024 3:48 પી એમ(PM)

views 43

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા છે.જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનાં પ્રયત્ન ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 62

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટી...

જુલાઇ 21, 2024 7:35 પી એમ(PM)

views 35

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સઘન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમુદ્રકિનારા વિસ્તારમાં બાજ નજર રાખીને મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપ્યું છે.,. એક અંદાજ મુજબ, 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમ...

જુલાઇ 21, 2024 8:01 પી એમ(PM)

views 48

નગરપાલિકાઓને રસ્તાઓના સમારકામ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતાં નુકસાનને નિવારવા સમારકામ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે.. જેમાં અ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ રૂપ...

જુલાઇ 21, 2024 7:30 પી એમ(PM)

views 58

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ

રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેરગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર...

જુલાઇ 21, 2024 7:26 પી એમ(PM)

views 41

વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે, તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપ...

જુલાઇ 21, 2024 7:28 પી એમ(PM)

views 42

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.. મચ્છર અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરાઇ રહી છે. વરસાદી ઋતુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્...

જુલાઇ 21, 2024 3:27 પી એમ(PM)

views 43

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગુજરાત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાને 38 મિનિટે 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ મહિનામાં ભૂકંપનો આ સાતમો આંચકો આવ્યો હતો...