પ્રાદેશિક સમાચાર

જુલાઇ 23, 2024 7:52 પી એમ(PM)

views 48

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શ્રી પટેલે જિલ્લાના અધિકારો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનું જોર આજે ઘટ્યું છે. ...

જુલાઇ 23, 2024 7:48 પી એમ(PM)

views 46

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, ...

જુલાઇ 23, 2024 7:46 પી એમ(PM)

views 64

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ વાઈરસના કારણે અત્યાર સુધી 36 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 46 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં આરોગ્યની ...

જુલાઇ 23, 2024 7:45 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. અંદાજપત્ર પરનો પ્રતિભાવ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જાહેર કરી છે, જ...

જુલાઇ 23, 2024 7:41 પી એમ(PM)

views 59

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકા કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના 2.0 હેઠળ એ...

જુલાઇ 23, 2024 7:39 પી એમ(PM)

views 47

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવ...

જુલાઇ 22, 2024 7:47 પી એમ(PM)

views 47

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષી...

જુલાઇ 22, 2024 7:45 પી એમ(PM)

views 49

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમ જ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદ...

જુલાઇ 22, 2024 7:44 પી એમ(PM)

views 70

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા ...

જુલાઇ 22, 2024 3:55 પી એમ(PM)

views 52

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં હાલ 300 આરોગ્યના પેટા કેન્દ્ર અને 50 જાહેર આરોગ્ય કેન્દ્ર પરથી તમામ ગામના પાકા અને કાચા મકાનોની માહિતી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં ગોધરામાંથી ચાર, મોર...