તુર્કીયેની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપતા કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે.
આ કાયદા હેઠળ, કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે, કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કીયે સરકાર સામેના તેના દાયકાઓથી ચાલી આવતા સશસ્ત્ર અભિયાનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય તેના જેલમાં બંધ નેતા અબ્દુલ્લા ઓકલાનના કોલ બાદ લેવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી તુર્કીયે અને ઇરાક વચ્ચેના સંબંધો મજબૂત થવાની શક્યતા છે.