રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને જન-આંદોલનનું સ્વરૂપ આપવા જણાવ્યું હતું ટો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટીબીના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી સચોટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.