સપ્ટેમ્બર 9, 2026 7:57 પી એમ(PM)

printer

ભારત અને શ્રીલંકા વચ્ચે NCC અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર થયા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી અને ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીના સમગ્ર પાસાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ પુનઃપુષ્ટિ કરી કે ભારત અને શ્રીલંકા આ ક્ષેત્રની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રીતે કામ કરતા રહેશે. બંને પક્ષોએ એ પણ પુનઃપુષ્ટિ કરી કે સભ્યતાના જોડિયા, નજીકના પડોશીઓ અને દરિયાઈ ભાગીદારો તરીકે, તેઓ તેમના વિકાસ અને લોકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

બંને પક્ષોએ શ્રીલંકાની વાયુસેના માટે L70 ગનના અપગ્રેડેશન અને બંને દેશોના નેશનલ કેડેટ કોર્પ્સ અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર-MoUનું પણ આદાનપ્રદાન કર્યું. આ હવાઈ સંરક્ષણ બંદૂકોના અપગ્રેડેશનથી શ્રીલંકામાં મહત્વપૂર્ણ સંપત્તિઓના હવાઈ સંરક્ષણ સ્થાપત્યને મજબૂત બનાવાશે. બંને નેતાઓએ ભારતીય સંરક્ષણ દળો દ્વારા બાંધવામાં આવેલા ત્રણ બેલી બ્રિજનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું.