સપ્ટેમ્બર 3, 2026 7:56 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર ગાઢ સંબંધો ધરાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર  ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો શાસન-આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. સંરક્ષણમંત્રીએ નવી દિલ્હીમાં બેલ્જિયમના સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કેન સાથે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે વિશ્વ હાલમાં તેની સૌથી મોટી ભૂ-રાજકીય અને આર્થિક ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, બેલ્જિયમ જેવા મહત્વપૂર્ણ ભાગીદારો પરામર્શ માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડે છે.

બેલ્જિયમના સંરક્ષણ પ્રધાન થિયો ફ્રેન્કેનએ ભારતને વિશાળ વસ્તી અને ઉચ્ચ ટેકનોલોજી ધરાવતો દેશ ગણાવ્યો. તેમણે ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર બેલ્જિયમ સાથે સહયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.