સપ્ટેમ્બર 5, 2026 1:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને અને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શિક્ષકોએ ખાતરી કરવી જોઈએ કે દરેક વિદ્યાર્થીનું આંતરિક બાળપણ જીવંત રહે. શ્રી મોદીએ બાળકોમાં વધુ પડતા સ્ક્રીન સમય પર ચિંતા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ ડ્રગના દુરૂપયોગના વધતા જતા ખતરા અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના વિશે સતત જાગૃતિ ફેલાવવાની જરૂર છે.  

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ બાળકોને વર્ગખંડની બહાર લઈ જવા અને તેમને વાસ્તવિક જીવન કૌશલ્યો અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવાના મહત્વ પર ભાર મૂક્યો.આ વર્ષે, ત્રણ વિભાગોમાંથી કુલ 82 શિક્ષકો અને શિક્ષણવિદોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.