સપ્ટેમ્બર 1, 2026 2:13 પી એમ(PM)

printer

બિશ્કેકમાં SCOની પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક પડકાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ ફક્ત એક દેશની સલામતી માટે ખતરો નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક પડકાર છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ, સમાજ કે નાગરિક પોતાને આતંકવાદથી મુક્ત માની શકે નહીં. શ્રી મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 86મી બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી.