કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જાપાની કંપનીઓને ભારતમાં તેમના કાર્યોનો વિસ્તાર કરવા અને સુઝુકી જેવી સફળતા મેળવવા વિનંતી કરી અને કહ્યું કે ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓમાંથી 1,580 સુઝુકી ઉભરી આવે તેવી આશા રાખી રહ્યાં છે.
જાપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (JCCI) અને ભારતીય દૂતાવાસની જાપાન ઇન્ડિયા બિઝનેસ કન્સલ્ટેટિવ કમિટી (JIBCC) સાથેની રાઉન્ડ-મેજ મીટિંગને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે, ભારતના યુવા કાર્યબળ, વિસ્તરતી અર્થવ્યવસ્થા અને લાંબા ગાળાની વૃદ્ધિની આશા જાપાની વ્યવસાયો માટે નોંધપાત્ર તકો પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, ભારત અને જાપાને રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠનો ઉપયોગ વ્યાપાર સહયોગને વધુ ગાઢ બનાવવા અને આગામી દાયકા માટે તેમની આર્થિક ભાગીદારીને આકાર આપવા માટે કરવો જોઈએ.
શ્રી ગોયલ 200થી વધુ પ્રતિનિધિઓના ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને જાપાનની ચાર દિવસની મુલાકાતે છે.