નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે બે હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થયો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આશરે 100 ભારતીય નાગરિકો પણ ગુમ થયા છે. શ્રી જયસ્વાલે ઉમેર્યું કે ત્રિશુલી-1 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીય નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન બાજુના આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમના પરિવારોના સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોએ પણ 24 કલાક હેલ્પલાઇન શરૂ કરી છે.
કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરો 011-23088718, 011-23088719 અને 011-23012113 છે. વોટ્સએપ નંબર 9968291988 છે અને ઇમેઇલ situationroom@mea.gov.in છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ માટે ઇમરજન્સી નંબરો +977-9851316807, +977-9709107500 અને +977-9810326117 છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ +86-18514284905 છે.