નેપાળમા આવેલા વિનાશક પૂરમા મૃત્યુઆંક 1 હજાર 250 પર પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આપત્તિ અને આબોહવા પરિવર્તન વચ્ચેનો સંબંધ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવો જોઈએ, કારણ કે ગયા અઠવાડિયાના અચાનક પૂર પછી ગુમ થયેલા સ્થાનિક લોકોના પરિવારો દ્વારા પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુમ થયેલા લોકોમાં 583 વિદેશીઓ છે.
નેપાળ આર્મી સહિત સુરક્ષા કર્મચારીઓના સંયુક્ત દળોએ અત્યાર સુધીમાં હેલિકોપ્ટર અને જમીન માર્ગોનો ઉપયોગ કરીને 11 હજાર 993 લોકોને બચાવ્યા છે. શોધ અને બચાવ કામગીરી માટે લગભગ 21 હજાર 314 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
એશિયન વિકાસ બેંક, વિશ્વ બેંક, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય વિકાસ ભાગીદારોએ પણ સમર્થન આપવાનું કહ્યું છે, જ્યારે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાની નિષ્ણાત ટીમોને હાઇડ્રોપાવર સ્થળોએ બચાવ કામગીરી માટે એકત્ર કરવામાં આવી રહી છે.