ઓગસ્ટ 24, 2026 11:53 એ એમ (AM)

printer

આદિજાતિ બાબતોનું મંત્રાલય કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે

આદિજાતિ બાબતોનું મંત્રાલય આજથી બુધવાર સુધી કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમા આદિવાસી ભાષાઓના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને પુનરુત્થાન પર રાષ્ટ્રીય સંવાદ કરવામા આવશે. આ કાર્યક્રમ દેશભરના આદિવાસી સંગ્રહાલયો અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોને મજબૂત બનાવશે. આ સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે કરશે.

ઉદ્ઘાટન સત્રમાં આદિવાસી ભાષાઓમાં કર્ણાટક પ્રાઇમર્સનું પ્રકાશન, આદિજાતિ બાબતોના મંત્રાલય અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થશે. આ સંમેલનમાં ચેટબોટનું લોન્ચિંગ અને આદિ વાણી પ્લેટફોર્મ માટે એક મુખ્ય અપડેટ – તેની નવી iOS એપ્લિકેશન અને પ્લેટફોર્મ પર પાંચ નવી ભાષાઓ અને બહુવિધ નવી સુવિધાઓનો ઉમેરો જોવા મળશે.