સપ્ટેમ્બર 5, 2026 1:31 પી એમ(PM)

printer

નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવાયા.. અત્યાર સુધીમાં 169 ભારતીયોનો બચાવ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય સ્થળાંતર કરનારાઓની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે.

ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ્સ શેર કરતા, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 275 ભારતીય નાગરિકો ગુમ છે. તેમણે નોંધ્યું હતું કે 1 હજાર 907 ભારતીયો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ ભારતીયોને ફ્લાઇટ્સ દ્વારા ઘરે પરત મોકલવાની સુવિધા આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં કોઈ ભારતીય પ્રવાસી ફસાયેલા નથી.