સપ્ટેમ્બર 3, 2026 8:31 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં લોકમેળાનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી પોરબંદર, ભાવનગર અને સુરત જિલ્લાની ચાર દિવસીય  મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આજે સાંજે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે કૃષ્ણ સખા સુદામા સંસ્કૃતિક લોકમેળો-૨૦૨૬નું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ભાવનગરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે.