ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઈરાની મીડિયાએ જણાવ્યું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન કતારે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને સંભવિત કરારના મુસદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટે પણ જણાવ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુનીને ફરીથી ખોલવા અંગે એક કે બે દિવસમાં કરાર થવાની સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું છે કે તેમનો દેશ પ્રાદેશિક તણાવ વધારવા માંગતો નથી પરંતુ તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું છે કે ઈરાનને કરાર પર પહોંચવા માટે છેલ્લી તક આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 5, 2026 10:05 એ એમ (AM)
ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી.