સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધિત કરશે. આ તેમની ત્રણ દિવસીય મુલાકાતનો ત્રીજો અને અંતિમ દિવસ છે. પીએમ સેતુ યોજના હેઠળ આયોજિત આ પરિષદમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
કાર્યક્રમ પહેલા રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમને સાંભળશે. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 101 કરોડના 12 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
ગઈકાલે તેમની મુલાકાતના બીજા દિવસે સંરક્ષણ મંત્રીએ લખનૌમાં એક પાર્કનું ઉદ્ઘાટન કર્યું અને જણાવ્યું કે પાર્ક અને જાહેર જગ્યાઓ લોકોને જોડવામાં અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આ કાર્યક્રમ દરમિયાન, તેમણે લાલા લજપત રાય અને શહીદ ભગતસિંહની પ્રતિમાઓનું અનાવરણ કર્યું અને 43 કરોડ 13 લાખના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. તેમણે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં પણ સંબોધન કર્યું