કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આજે ગુજરાતમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતર-રાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ સેવાના પ્રારંભ અંગે શહેરીજનોને અભિનંદન પાઠવ્યા. વધુમાં શ્રી નાયડુએ કહ્યું, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત ઘણું આગળ વધ્યું છે. આ પ્રસંગે તેમણે દેશમાં આગામી 10 વર્ષમાં નવા 100 વિમાનમથક બનાવવાની પણ જાહેરાત કરી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, ઍર ઇન્ડિયા દ્વારા સંચાલિત પહેલી ઈઝી કનેક્ટ સેવા ઉડાન A.I.-1121 અમદાવાદથી રવાના થશે. આ ઉડાન દિલ્હી થઈ વિશ્વભરના વિવિધ સ્થળ પર યાત્રી સેવા ઉપલબ્ધ કરાવશે.