રાષ્ટ્રીય

જુલાઇ 4, 2024 9:09 એ એમ (AM)

views 56

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. જેનાથી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાનો માર્ગ મોકળો થતા જ તેમણે નવી સરકાર રચવાનો દાવો ...

જુલાઇ 3, 2024 12:11 પી એમ(PM)

views 46

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી ...

જુલાઇ 3, 2024 10:17 એ એમ (AM)

views 57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની સરકારની ઐતિહાસિક સતત ત્રીજી મુદત વિકાસની ગતિ અને સાતત્યતા માટેનો જનાદેશ હતો. તેમણે નિર્ધાર ...

જુલાઇ 3, 2024 10:01 એ એમ (AM)

views 85

નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી

નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, એક વખતની નોંધણી તેમજ શિષ્યવૃત્તિ માટે નવી અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જે અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ ...

જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM)

views 62

પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી

સંસદમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામકવાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ લોકસભા ચૂંટ...

જુલાઇ 2, 2024 8:04 પી એમ(PM)

views 81

નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનોપ્રાંરભ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આવતીકાલે નવી દિલ્હીમાં ગ્લૉબલઇન્ડિયા AI સમિટનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલનનો હેતુAI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતનાસમર્પણને દર્શાવતા, સહકાર તેમજ મહિતીના આદાન-પ્રદાનનેપ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા...

જુલાઇ 2, 2024 7:57 પી એમ(PM)

views 63

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે નોંધ રજૂ કરતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે શ્રી ગાંધીની કેટલીક ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટીઅને ભ્રામક છે, અને આ અંગે જરૂરી કાર્યવાહી થવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ ...

જુલાઇ 2, 2024 7:53 પી એમ(PM)

views 56

દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સંબોધન કર્યું

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા પર ભાર મૂક્યો છે.દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઇંટ-પથ્થરોથી નહીં, પરંતુ લ...

જુલાઇ 2, 2024 3:53 પી એમ(PM)

views 59

સેબીએ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હિન્ડેનબર્ગ રિસર્ચ એલ. એલ. સી, નાથન એન્ડરસન અને મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ક કિંગ્ડનની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે. આ 46 પાનની કારણ નોટિસમાં સેબીએ આરોપ મૂક્યો છે કે હિંડનબર્...

જુલાઇ 2, 2024 3:47 પી એમ(PM)

views 64

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે રવાના

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે ગઈ કાલે રવાના થયો છે. થાઇલેન્ડના તાક પ્રાંતમાં ફોર્ટ વચિરાપ્રકામ ખાતે 15 જુલાઇ સુધી કવાયત હાથ ધરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે,76 જવાનોના ભારતીય લશ્કરનાં કાફલામાં લડાખ સ્કાઉટ્સની બટાલિયન અને અન્ય સશસ્ત...