રાષ્ટ્રીય

જુલાઇ 21, 2024 2:16 પી એમ(PM)

views 34

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે 3 શ્રદ્ધાળુના મોત થયા

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદાર...

જુલાઇ 21, 2024 2:03 પી એમ(PM)

views 74

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા છે અને તેમના સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં દૂતાવાસે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 518 ભારતીયોને બચાવ્યા છે. દૂતાવાસે આ મામલે લાઓસ સત્તાધીશોના સહકાર બદલ પણ આભાર માન્યો હતો. તેમણે...

જુલાઇ 21, 2024 2:02 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ગુરૂપૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના શિક્ષકો અને આદ્યાત્મિક ગુરૂઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસની પણ જયંતી છે. આ પૂર...

જુલાઇ 21, 2024 1:59 પી એમ(PM)

views 82

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત...

જુલાઇ 21, 2024 1:57 પી એમ(PM)

views 49

ગુજરાત સહિત 4 રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના ...

જુલાઇ 21, 2024 1:53 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તેમજ સભાને સંબોધિત કરશે. આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વ...

જુલાઇ 21, 2024 1:51 પી એમ(PM)

views 30

સંસદના બજેટ સત્ર પહેલા નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હાલમાં ચાલી રહેલી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજીજૂ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, ર...

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 172

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્...

જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM)

views 55

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધા...

જુલાઇ 20, 2024 8:08 પી એમ(PM)

views 26

બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લા અને મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું

ભારત બ્લોકના ઘટક પક્ષોએ આજે રાજ્યમાં કથિત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લાનૈ મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ એમએલ અને વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓ અને પક્ષના કાર્યકરોએ રાજ્યના ઘણા ભાગોમાં નીતિશ કુમારની આગેવાની હે...