કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં બે દિવસીય 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ આધારિત બે દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. કોન્ફરન્સ દરમિયાન દેશભરના વિવિધ સુરક્ષા દળો અને પોલીસ દળોના 800થી વધુ અધિકારીઓ વિવિધ સમકાલીન બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના પડકારો પર ચર્ચા કરશે.
આ વાર્ષિક વ્યૂહાત્મક મંચ આંતરિક સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને ઉભરતા જોખમો પર ગુપ્તચર, અર્ધલશ્કરી અને પોલીસ નેતૃત્વ વચ્ચે સંકલન સાધશે.