મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે પાંચ વાગે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે.
વિધાનસભાના ચોમાસુ સત્રને કારણે રાજ્ય મંત્રીમંડળની બેઠક સાંજે યોજાશે. આ બેઠકમાં વરસાદની અછતની સ્થિતિ, ઘાસચારો, પાણીનું આયોજન સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની શક્યતા છે.