સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 હેઠળ 18 લાખ 77 હજાર ઘરોને મંજૂરી આપી છે, જે યોજનાના અમલીકરણને વધુ વેગ આપે છે અને શહેરી વિસ્તારોમાં બધા માટે ઘર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવે છે.
ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની નવમી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા ગૃહ અને શહેરી બાબતો મંત્રાલયના શહેરી વિકાસ વિભાગના સચિવ સતેન્દ્ર સિંહે કરી હતી.