પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય” વિષય અંગે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ દ્વારા બે દિવસીય પરિષદનું આયોજન કરાયું છે. જેમાં પર્યાવરણીય નિષ્ણાતો અને સર્વોચ્ચ અદાલત, રાજ્યની વડી અદાલતો સહિત જિલ્લા અદાલતોના ન્યાયાધીશો, વિવિધ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.
રાજ્ય ન્યાયિક અકાદમીઓ, રાજ્ય કાનૂની સેવા સત્તાવાળાઓ, રાજ્ય નિષ્ણાત મૂલ્યાંકન સમિતિઓ, રાજ્ય પર્યાવરણીય અસર મૂલ્યાંકન સત્તાવાળાઓ અને રાજ્ય વેટલેન્ડ સત્તાવાળાઓના પ્રતિનિધિઓ અને 17 દેશોના ન્યાયાધીશો અને ન્યાયિક પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
આ પરિષદમાં નીતિનિર્માણ, અમલીકરણ અને અમલીકરણમાં ખામીઓ સહિત મુખ્ય પર્યાવરણીય અને આબોહવા પડકારોની ચર્ચા કરશે. પર્યાવરણીય શાસન પ્રક્રિયાઓ અને સંસ્થાકીય અનુભવોની ચર્ચા કરવામાં આવશે.