વિનાશક પૂરને પગલે ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારી છે, અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે અને શોધ, બચાવ અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાત કર્મચારીઓને તૈનાત કર્યા છે.
નેપાળમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે જણાવ્યું હતું કે 35 ટન રાહત અને બચાવ પુરવઠો લઈને આઠમું ભારતીય વાયુસેનાનું વિમાન કાઠમંડુ પહોંચ્યું છે.
આ દરમિયાન, ભારતની વિશેષ ટનલ બચાવ ટીમે શરૂઆતમાં ચિલીમે અને લંગટાંગમાં બે ઉચ્ચ જોખમી સ્થળોએ નેપાળી સેના સાથે સંયુક્ત કામગીરી શરૂ કરી હતી.