રાજ્ય વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ
મિશ્રણ વિધેયક-2026’ ગઈકાલે સર્વાનુમતે પસાર કરાયું છે.
રાજ્યના દૂધાળા અને પાલતુ પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો.
પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનશે.