વિધાનસભામાં જમીન ટુકડા ધારામા સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ વિધાનસભાના સત્રનું આહ્વાન કર્યું છે.ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ ગુજરાત વિધાનસભાના આ નવમા સત્રનું આહ્વાન કર્યું છે.તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ, સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ ત્રણ દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે.
News On AIR | ઓગસ્ટ 4, 2026 12:39 પી એમ(PM)
આઠમી સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામા સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે