ઓગસ્ટ 30, 2026 11:00 એ એમ (AM)

printer

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. 

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક- 1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.

આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા
સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે.